અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો યોજાવાનો છે. આ મેળાને લઇને અંબાજીમાં બેઠક યોજાય હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર રહ્યા હતા. ભાદરવી મહાકુંભના આયોજનને લઇ તંત્ર સાથે ચર્ચા કરી હતી. ભક્તોની સુવિધાને લઇ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. અંબાજીમાં આ વર્ષે ભારે રંગેચંગે યોજાશે પૂનમનો મેળો.


અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો 

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ અંબાજી ગજદ્વાર પોલીસ ચોકીનુ લોકાર્પણ કર્યું હતું. ગજદ્વાર સ્માર્ટ પોલીસ સ્ટેશન મેસ અને ડોર્મટરી કોમ્પલેક્ષનું ખાત મુહૂર્ત કર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. માતાજીના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

ભક્તોની સુવિધાને લઇ બેઠકમાં ચર્ચા

હર્ષ સંઘવી આજે અંબાજીની મુલાકાતે હતા. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં આવનાર માઇભક્તોને તમામ સુવિધાઓ મળી રહે તેના આયોજનને લઇ બેઠકમાં કરાઈ ચર્ચાઓ કરવામાં આવી છે. લોકોને કોઈ પણ જાતની અગવળતા ના પડે તે માટે બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે.


  • Follow us on: