અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ઠેબી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલીને 556 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.


ઉપરવાસમાં વરસાદને પગલે એક દરવાજો ખેલાયો

હવામાન વિભાગની આગાહી મુજબ ઉપરવાસમાં વધુ વરસાદ થવાની સંભાવના છે. આથી ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા અમરેલી શહેર સહિત ચાપાથળ, પ્રતાપરા અને આસપાસના અન્ય નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

અમરેલીના ચાપાથળ, પ્રતાપરા ગામને એલર્ટ કરાયા

આ પાણી છોડવાના કારણે ઠેબી નદીના પટમાં પાણીની સપાટી વધી શકે છે. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં ન જવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે.



ઠેબી ડેમનો

  • Follow us on: