અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં જળબંબાકાર જેવી સ્થિતિ યથાવત છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને કોઝવે પર પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને સમઢિયાળા-1થી ચાંચબંદર તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતાં ચાંચબંદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સવારથી જ આ કોઝવેની બંને તરફ અનેક વાહનો અને મુસાફરો અટવાયા હતા.
સમઢિયાળાથી ચાંચબંદર જવાના રસ્તા પર પાણી













