અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં આજે મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. લાંબા સમયનો વિરામ લીધા બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં નદી-નાળા છલકાઈ ગયા હતા અને ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો હતો. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતો અને ગરમીથી લોકોને મોટી રાહત મળી હતી. આ ભારે વરસાદને કારણે વિસ્તારની મુખ્ય નદીઓમાં પાણીની આવક વધી છે. ખાસ કરીને ગોરડિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
અમરેલીમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા













