સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘનું લાયસન્સ રદ્દ કરવાનો મામલો સામે આવ્યો છે. વિક્રેતા દ્વારા નિયમ ભંગ કર્યો હોવાની ખેડૂતની રજૂઆત બાદ તંત્રએ કામગીરી હાથ ધરી છે. સંઘના વિક્રેતા સામે ખેડૂત દ્વારા નિયમ ભંગ કરવાની ફરિયાદ હતી જેને લઈ ને નાયબ ખેતી નિયામકને ફરિયાદ કરાઈ હતી. ખાતર વિક્રેતા યુરિયા સાથે અન્ય ખાતર આપતા હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.
સંઘનો ખાતર સ્ટોક 30 દિવસમાં નિકાલ કરવાનો આદેશ













