અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. બે સિંહ બાળના શંકાસ્પદ મોત થતાં સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકા વ્યક્ત કરાઈ છે. રોગચાળાની આશંકાને લઇ વનવિભાગના અધિકારીઓ દોડતા થયાં છે. સેમ્પલ લઇને તપાસ માટે લેબમાં મોકલાયા છે. રેસ્ક્યુ કરાયેલા સિંહબાળની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. માઇન્સ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે. કાગવદર ગામેથી 9 સિંહબાળનું રેસ્ક્યુ કરાયું હતું.
સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરાઈ













