અમરેલી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધારીના આંબરડી સફારી પાર્કને જોડતા ધારી-આંબરડી-ગોપાલગ્રામ-સરંભડા રોડના વાઈડનીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. હયાત રોડ ૩.૭૫ મીટરમાંથી ૫.૫ મીટર સુધીની પહોળાઈ-નવીનીકરણની કામગીરી પૂરજોશમાં શરૂ છે.
ડામરની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરવામાં આવી
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધારીથી પવિત્ર તુલસીશ્યામ ધામ સુધી હયાત રોડનું ૧૦ મીટર સુધી વાઈડનીંગની કામગીરીની પૂર્ણ કરવામાં આવી છે. આ રોડ પર હાલ ડામરની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.તુલસીશ્યામ ધામ એ ધારી નજીક ગીરના જંગલો વચ્ચે સ્થિત ભગવાન શ્યામસુંદરનું ભવ્ય મંદિર ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે.













