અમરેલીથી સુરત તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસને ચીતલના જશવંતગઢ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં નંદકિશોર નામની ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી. જેના પરિણામે બસમાં સવાર 26 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અમરેલી અને ચીતલ વચ્ચે આવેલા જશવંતગઢ નજીક અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી.


ચીતલના જશવંતગઢ પાસે બસે મારી પલટી

અકસ્માત થતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બસના કુલ 26 મુસાફરોને સારવાર અર્થે ચીતલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બસમાં સવાર 26 મુસાફરોને નાની મોટી ઈજા

સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બસ પલટી જતાં મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. પરંતુ સ્થાનિક લોકો અને 108ની ટીમના સહયોગથી ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી શકી હતી.


  • Follow us on: