અમરેલીના વડીયા પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતો હરખાયા અને સારી ઉપજની આશાઓ અને અપેક્ષાઓ સેવાઈ હતી અને અચાનક આ પંથકમાં ભૂંડ નીલગાયના આતંકથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અરજનસુખ ગામના હરસુખભાઈના ખેતરમાં 8 વિઘાના સોયાબીનનો પાક ખોદીને ખાઈ ગયા અને થોડા રહેવા દીધા છે એમાં કોઈ વધે એમ નથી. રાત દિવસ આ ભૂંડ અને નીલગાયનો ત્રાસ છે.


ખેતી કેવી રીતે કરવી એ મુશ્કેલી?

ખેડૂત હરસુખભાઈ પોપટભાઈ વઘાસિયાએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે નુકસાન તો થયું છે પરંતુ સરકાર પાસે કોઈ આશા કે અપેક્ષા નથી, કારણ કે સરકાર કાંઈ આપતી નથી. બે તાર બાંધીએ તો કહે છે કે તમો સોટ મુક્યા શું કરવું એ ખબર પડતી નથી. ખેતી કેવી રીતે કરવી એ મુશ્કેલી પડી રહી છે. હાલ આ અરજનસુખ ગામે ભૂંડ નીલગાયના ત્રાસથી ખેડૂતોના કપાસ મગફળી અને સોયાબીન જેવા પાકો તૈયાર થઈ ગયા છે. પરંતુ આ ભૂંડ રોજના ત્રાસથી ખેડૂતોના પાકોને બરબાદ કરી રહ્યા છે, સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ હતા. પરંતુ આ ભુંડ નીલગાયના ત્રાસથી મોટી આપત્તિ આવી છે. આનાથી હવે ખેડૂતોને છુટકારો મળે એવી આશાઓ રાખી રહ્યા છે.

ખેડૂતોની પરેશાનીથી સરકાર છૂટકારો અપાવશે કે નહીં ?

ખેડૂતોને અવાર નવાર પોતાના પાકોને લઈ આફતો આવી રહી છે, ત્યારે આ વર્ષે સારો વરસાદ પડતા ખેડૂતો ખુશ હતા અને સારી ઉપજથી સારી આવક થશે તેવી આશાઓ હતી. પરંતુ આ ભૂંડ નીલગાયની આફતથી ખેડૂતો ત્રાહિત થયા છે. સરકાર પરથી ભરોસો ઉઠતો જણાઈ રહ્યો છે અને સરકાર પાસે કોઈ આશા કે અપેક્ષાઓ નથી. એ કઈ આપતા નથી કહીને પોતાની વેદના ઠાલવી રહ્યા છે. હવે ખેડૂતોની પરેશાનીથી સરકાર છૂટકારો અપાવે છે કે નહીં એ સમય બતાવશે.

  • Follow us on: