અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડ-રસ્તાઓ અંગેની સતત ઉઠતી ફરિયાદોને કારણે વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાઓ આખરે એક્શન મોડમાં આવ્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન વાહનવ્યવહાર વધવાનો હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડ-રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.
રાજુલા-બાદડા હાઇવેનું અધિકારીઓ સાથે નિરીક્ષણ
લોકોની ફરિયાદોને ગંભીરતાથી લઈને સાંસદ ભરત સુતરિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા અધિકારીઓ સાથે તાત્કાલિક નિરીક્ષણ માટે મેદાનમાં ઉતર્યા હતા. બંને નેતાઓએ રાજુલા - હિંડોરણા - બાદડા સ્ટેટ હાઇવે સહિતના મુખ્ય માર્ગોનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું. આ હાઇવે અતિ બિસ્માર હાલતમાં હતો. જેના કારણે વાહનચાલકો ભારે પરેશાન હતા.













