અમરેલીમાં સિંહણના મોત મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે. 40 જેટલા વન કર્મચારીઓ દ્વારા લીલીયા રેન્જમાં સ્કેનીંગ શરુ કરાયું છે.


વન વિભાગે ચાર ગામમાં સ્નેકિંગ પ્રક્રિયા હાથ ધરી

સિંહણના મોતના મામલે હવે વન વિભાગ હરકતમાં આવ્યું છે. વન વિભાગે ચાર ગામમાં સ્નેકિંગ પ્રક્રિયા હાથ ધરી છે તો સાથે સાથે સિંહણને મોતને ઘાટ ઉતારનારને શોધવા પણ કવાયત ચાલી રહી છે.

  5 વર્ષની ઉંમરની સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

ઉલ્લેખનિય છે કે 2 દિવસ પહેલા 5 વર્ષની ઉંમરની સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તાર ફેન્સિંગમાં વીજ કરંટથી મોત થયાનું રિપોર્ટમાં ખૂલ્યુ હતું. લીલીયાના મોટા કણકોટમાં તાર ફેન્સીંગમાં કરંટથી સિંહણનું મોત થયું હતું.

તપાસ માટે વન વિભાગે જુદી જુદી 4 ટીમો બનાવી

હવે સિંહણના મોત મામલે વન વિભાગે ચાર ગામમાં સ્કેનીંગ પ્રક્રિયા શરૂ કરી છે. સિંહણને મોતને ઘાટ ઉતારનારને શોધવા માટે વન વિભાગની 9 ટીમમાં 40 કર્મચારીઓ જોડાયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ વન વિભાગે જુદી જુદી 4 ટીમો બનાવી તપાસ શરૂ કરી 

  • Follow us on: