સાવરકુંડલા તાલુકાનું મઢડા ગામમાં થોડા દિવસ પહેલા વાડી વિસ્તારમાં રહેતા પશુપાલકની હત્યા કરીને લાશને પાણીના ખાડા પાસે નાખી દીધી હતી. કરલા ગામ જવાના જુના રસ્તે જીલુભાઈ ખોખાભાઈ વાઘોશી ઉંમર વર્ષ 55 રહેવાસી મઢડા ગામના આધેડની તીક્ષણ હથિયાર અને બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ પોલીસને ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું હોય તેવી પોલીસ ચોપડે એડી દાખલ કરવામાં આવી હતી. પરંતુ પોલીસને શંકા જતા તપાસમાં હત્યા જણાતા તેમને પીએમ માટે પ્રથમ વીજપડી ત્યારબાદ સાવરકુંડલા અને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા.


ભત્રીજાએ કાકાની હત્યા કરી

પોલીસે જુદી જુદી ટીમો બનાવી હત્યારાને શોધવા માટે કવાયત હાથ ધરી હતી અને મૃતકના કૌટુંબીક ભત્રીજાની સાથે જ રહેતા આ કાકાને અવારનવાર તેમના ભત્રીજાઓ સાથે પૈસા બાબતે અને જમીન બાબતે ઝઘડો થયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન જીલ્લુભાઈ ખોખાભાઈ વાઘોસીને તેના ભત્રીજા ઘોહાભાઈ સાથે જે અણ બનાવ ચાલતો હતો કે હકીકત જાણવા મળતા તેના જ કૌટુંબિક ભત્રીજાએ હત્યા કરી હોવાનું જણવા મળ્યું હતું. અમરેલી એલસીબી અને સાવરકુંડલા રૂરલ પોલીસે આરોપી ઘોહાભાઈ બચુભાઈની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીને ઝડપી લીધો

આરોપી ઘોહાભાઈની પોલીસે પૂછપરછ કરતા મૃતક જીલુભાઇને તેમની સાથે જ રહેતા હતા થોડા સમય પહેલા તેઓએ ઘેટા- બકરા વેચેલ હતા અને જે પૈસા આવેલા હતા તેમાંથી તેમણે વાડામાં કામ કરાવેલ અને ભેંસો પણ લાવેલા હતા બાકીના પૈસા વાપરી નાખેલા હતા. અવારનવાર પોતાની પાસે પૈસાની માંગણી કરતા હતા. પૈસા લઈ જતા હતા અને વધુ પૂછપરછમાં તેઓ પોતાના ભાગની જમીન વેચી નાખવાનું કહેતા હતા. પરિણામે તારીખ 25 -8 -2025 ના રોજ પોતે રાત્રે પોતાના વાડામાં સુતા હતા ત્યારે તેમને મોકો મળતા ખાટલામાં સૂતેલા જીલુભાઈને કુહાડી અને લાકડા વડે માર મારીને ત્યાંથી ઊંચકી અને નજીકના પાણીના ખાડામાં નાખી દીધી હતી. તેની કબુલાત પણ કરી હતી. સાવરકુંડલા પોલીસે આ સમગ્ર ઘટનાનું આરોપીને લઈ અને ઘટના સ્થળે લઈ જઈ રિંકન્ટ્રક્શન પણ કરાયું હતું. કોર્ટમાં રિમાન્ડ માગતા નામદાર કોર્ટ બે દિવસના રિમાન્ડ પણ આપ્યા હતા. આમ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને દબોથી લીધો હતો.


  • Follow us on: