અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક નવાગામથી શામળાજી રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 2 લોકોના કરૂણ મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે બાઇક સવાર યુવકોનું વાહન અચાનક રોડ પરના ડિવાઇડર સાથે જોરદાર રીતે અથડાયું હતું. ટક્કર એટલી ભયંકર હતી કે બાઇક સવાર બંને યુવકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું, જેને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ડિવાઇડર સાથે ટક્કર થતા ઘટનાસ્થળે જ મૃત્યુ
અકસ્માતની પ્રાથમિક માહિતી મુજબ, બાઇકની સ્પીડ વધુ હોવાને કારણે કે અન્ય કોઈ કારણોસર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે બાઇક સીધું ડિવાઇડર સાથે અથડાયું હતું. આ અકસ્માતની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને મૃતકોની ઓળખ કરવા તેમજ તેમના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.













