બનાસકાંઠામાં વરસાદે વિરામ લીધો છે. વરસાદ બંધ થયા બાદ પણ ડિસા સહિત અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો નથી. વરસાદના વિરામ બાદ પણ રેલવે ગરનાળું હજુ પણ પાણીમાં ગરકાવ થયેલું છે. આ રેલ્વે ગરનાળામાં ભરાયેલ પાણીના કારણે ડીસાના જેનાલ - નાણી ગામ વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલ્વે ગરનાળું પાણીમાં ગરકાવ













