પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. ધાનેરાથી અમદાવાદ જતી એસટી બસે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી વ્યક્તી ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ પોલીસે બસ ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.


 મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો

કાણોદર નજીક એક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી હોવાના કારણે સર્વિસ રોડ પરથી પસાર થતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ દ્વારા મૃતકના મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગમખ્વાર અકસ્માતને જોવા લોકોની ભારે ભીડ ત્યાં આવી પહોંચી હતી. પોલીસે હાઈવે પરનો ટ્રાફિક હળવો કરાવીને બસ ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતના બનાવોમાં વધારો

અકસ્માતોના બનાવ દિવસેને દિવસે વધિ રહ્યા છે. તે છતાં લોકોમાં પોતાની સુરક્ષાને લઈ કોઈ જાગૃતિ જોવા મળતી નથી. આ ઉપરાંત હાઈવે પર નિયમોનું પાલન કરાવનારી પોલીસ પોતાની જવાબદારીને ગંભીરતા ન લેતી હોવાથી આવા અકસ્માતો વધવાની પૂરેપૂરી સંભાવના છે. માત્ર પોલીસ કે તંત્રએજ નહિં પરંતું વાહન લઈને નિકળતા દરેક રાહદારીઓએ પોતાની સુરક્ષા માટે પોતે જવાબદારી લેવી અનિવાર્ય છે.


  • Follow us on: