બનાસકાંઠા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલા ઘાસચારાની ટ્રકમાં આગ લાગવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. આ ઘટનાઓમાં ડ્રાઈવરોની સમયસૂચકતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટું નુકસાન થતું અટકાવવામાં આવ્યું છે.
ભાભરના વજાપુરમાં ટ્રકમાં આગ
ભાભરના વજાપુર ગામે પૂરગ્રસ્ત વિસ્તારો માટે ઘાસચારો ભરીને જતી એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ ટ્રક સુકા ઘાસચારાની ગાંસડીઓથી ભરેલી હતી. આગ લાગતા જ ડ્રાઈવરે તાત્કાલિક ટ્રકને એક સુરક્ષિત જગ્યાએ ઊભી રાખી હતી અને નજીકના થરાદ ફાયર વિભાગને જાણ કરી હતી. થરાદ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાઈટર્સની મહેનતથી ટ્રકને સળગતી બચાવી શકાઈ હતી, જેના કારણે મોટાભાગનો ઘાસચારો બચી ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.













