બનાસકાંઠામાં પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. પાંથાવાડામાં પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત થયું છે. પોલીસકર્મી પેટ્રોલિંગમાં હતા તે વખતે હાર્ટ એટેક આવ્યો હતો. ધાનેરા ખાતે પીએમ બાદ મૃતક પ્રભુજીના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી છે .


બનાસકાંઠામાં પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત 

ગુજરાતમાં થોડા સમયથી પોલીસ કર્મચારીના મોતની ઘટનાઓ સામે આવી રહી છે. પાંથાવાડામાં પોલીસકર્મીનું હાર્ટ એટેકથી મોત થયું છે. પોલીસકર્મી પેટ્રોલિંગમાં હતા તે વખતે હાર્ટ એટેક આવ્યો હતો.  મહોરમ તાજીયા જુલુસના પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએથી તાજીયા જુલુસ નીકળવાના હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં એક પોલીસ જવાનનું મોત થયું છે. શહેરમાં બંદોબસ્ત પોલીસ જવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. ASI પ્રવિણસિંહ ખાંટનું ચાલુ ફરજે મોત નીપજ્યુ છે.

અગાઉ પણ ફરજ દરમિયાન પોલીસકર્મીના મોત થયા

વડોદરામાં હાર્ટ એટેકથી પોલીસ જવાનનું મોત થયું છે. રથયાત્રાના બંદોબસ્ત વખતે પોલીસ જવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. રાવપુરામાં પોલીસ જવાન નરેશ રાઠવાનું મોત થયું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ SSG હોસ્પિટલ પહોંચ્યા છે. બપોરે તબિયત લથડતા એસ. એસ. જી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.


  • Follow us on: