ભાવનગરમાં વરસાદી કહેર જોવા મળ્યો હતો. આ પંથકમાં સૌથી વધુ નુકસાન થયુ છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પરેશાન છે. તો રસ્તાઓ પર ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલી છે. અને તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. પ્રિ-મોન્સૂનની કામગીરી છતી થતા સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. તંત્રની બેદરકારીના કારણે રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.
પુલ બેસતાં વાહનોની અવરજવર બંધ













