ભાવનગરના મહુવામાં દુર્ઘટના થતાં રહી ગઈ છે. PGVCL સબસ્ટેશનમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જેના કારણે મહુવા તથા ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ ઘટના બનતાં જ PGVCLના કર્મચારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. બ્લાસ્ટ બાદ લાગેલી આગ પર થોડીવારમાં જ કાબુ મેળવી લેવાયો હતો.


નેસવડ પાસે આવેલા PGVCL સબસ્ટેશનમાં બ્લાસ્ટ

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરના મહુવામાં નેસવડ પાસે આવેલ PGVCL સબસ્ટેશનમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. બ્લાસ્ટ થયા બાદ મહુવા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો. આ ઘટના બાદ PGVCLના કર્મચારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. કર્મચારી તેમજ અન્ય સ્ટાફ રીપેરીંગ કામમા જોડાઈ ગયા હતાં.

બ્લાસ્ટ થયા બાદ ઘોર અંધકાર છવાઈ ગયો

બ્લાસ્ટ કયા કારણોસર થયો અને શું ફોલ્ટ હતો તે અંગે કોઈ કર્મચારીએ માહિતી આપી નહોતી. બ્લાસ્ટ થયા બાદ ઘોર અંધકાર છવાઈ ગયો હતો. અધિકારીઓ અને કર્મચારીઓએ રીપેરિંગની કામગીરી શરૂ કરી દીધી હતી. આ કામગીરી ક્યારે પુરી થશે અને વીજ પુરવઠો ક્યારથી ચાલુ થશે તે અંગે પણ કર્મચારીઓએ મગનું નામ મરી પાડ્યું નહોતુ.


  • Follow us on: