ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં ભારે વરસાદને કારણે ઘાંઘળીથી મગલાણા ગામને જોડતા કોઝ-વેનું ધોવાણ થયું છે. શનિવારે સાંજે ગોમતેશ્વર તળાવ ઓવરફ્લો થતાં પાણીના તેજ પ્રવાહમાં આ કોઝ-વેનો મોટો ભાગ તૂટી ગયો હતો, જેના કારણે નવાગામ, પાલડી અને નાના સુરકા જેવા ગામોનો સંપર્ક શિહોર સાથે કપાઈ ગયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અવરજવરના માર્ગો બંધ













