ભાવનગરમાં આજે શ્રાવણ માસની સાતમ એટલે કે શીતળા સાતમની ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર નિમિત્તે શહેરના ઘોઘા રોડ પર આવેલા મોટા શીતળા માતાના મંદિરે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી. મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ ઘરેથી ઠંડું ભોજન લઈને આવ્યા હતા. કારણ કે આ દિવસે ગરમ ખોરાક રાંધવામાં આવતો નથી અને શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે.
આસ્થા અને ભક્તિના આ પર્વ નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું













