ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા કરતી વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. જ્યાં શહેરના બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાં પિતા-પુત્ર પર લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના આખલોલ જકાતનાકા પાસે આવેલી સંસ્કાર સ્કૂલ નજીક બની હતી. અહીં રહેતા ગોવિંદભાઈ પરમાર અને તેમના પુત્ર પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.
4 લોકોનો પિતા-પુત્ર પર લોખંડના પાઇપથી હુમલો













