ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલી પારેખ કોલેજમાં શિક્ષકોની અછત અને અનિયમિત શિક્ષણના મુદ્દે વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ કોલેજમાં રામધૂન બોલાવીને પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓનો મુખ્ય આક્ષેપ હતો કે કોલેજમાં શિક્ષકોની પૂરતી સંખ્યા ન હોવાને કારણે તેમના લેક્ચર અનિયમિત ચાલી રહ્યા હતા. ઘણા લેક્ચરો ખાલી જાય છે અને શિક્ષકો સમયસર ક્લાસમાં આવતા નથી. આ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી હતી.
પારેખ કોલેજમાં શિક્ષકોની અછત સામે વિરોધ













