ભાવનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. તો બીજી તરફ પૂરની સ્થિતિ સર્જાતા અનેક જગ્યાએ લોકો ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં વલ્લભીપુરમાં ફાયર વિભાગની ટીમે 14 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. સેવાભાવી સંસ્થાના કાર્યકરો પણ રેસ્ક્યુમાં જોડાયા હતા. ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે કાળુભાર અને ખારો નદીના પાણી વધી જવાના કારણે 14 ગ્રામજનો ફસાયા હતા.


વલ્લભીપુરમાં 14 લોકોનું રેસ્ક્યુ 

વલભીપુર તાલુકાના થાપનાથ અને મગલાણા ગામમાં તેમજ વાડી વિસ્તારમાં ફસાયેલા ગ્રામજનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યુ છે. ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા લોકને કામ વગર બહાર ન જવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાને એક એનડીઆરએફ ટીમ રાહત અને બચાવની કામગીરી માટે આપવામાં આવી છે.

 ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો 
ભાવનગરમાં વરસાદી કહેર જોવા મળ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તંત્ર સ્થાનિકોની મદદ કરવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. ત્યારે અમુક સ્થળોએ માર્ગ તૂટ્યો છે. તો ક્યાંક કોઝવે ધોવાયો છે. તો અમુક સ્થળોએ જીવાદોરી સમાન પાઇપલાઇન તૂટી છે. આ તમામની વચ્ચે રહીશોનું જન-જીવન ખોરવાયુ છે. અને તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદી માહોલમાં ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે પૂરની સ્થિતિ પેદા થઇ છે.


  • Follow us on: