ભાવનગરમાં ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા છે. જેસર પંથકમાં થેલીમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતે પોતાની વાળીમાં નાખવા માટે ખરીદેલા ખાતરમાંથી પથ્થર જેવી વસ્તુંઓ નિકળતા તેણે પાણીમાં રાખીને ચેક કરતા ઓગળ્યા ન હતા.


ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

આ અંગે આ ઘટના બાદ દુકાનદારે કંપનીના પ્રતિનિધિઓનો સંપર્ક કરાવ્યો હતો. મામલે અરવિંદભાઈ વાઘેલાએ ભાવનગર જિલ્લા હ્યુમન રાઈટસ પ્રેસિડેન્ટ સુરપાલસિંહ સરવૈયાને જાણ કરતા ખેડૂતોની હાજરીમાં ખાતરના સેમ્પલ લઈ પારદર્શિતા જાળવીને લેબમાં મોકલવા આવ્યો છે.

યોગ્ય તપાસની માંગ કરવામા આવી 

આ ઘટના બાદ ખેડૂતો દ્વારા યોગ્ય તપાસની માંગ કરવામા આવી છે. આવી ઘટના અન્ય લોકો સાથે ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતે આ પથ્થર જેવા પદાર્થને ૨૪ કલાક પાણીમાં રાખવા છતાં ઓગળ્યા નહોતા.


  • Follow us on: