બોટાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક ગામડાંઓ અને શહેરોને જોડતા માર્ગોને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે મુખ્યમંત્રીની તાકીદની સૂચના અન્વયે જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ, બોટાદ તરફથી તાત્કાલિક પગલાં લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓની મરામત માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે છૈડા- પાળીયાદને જોડતા રોડની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.


અણિયારી કાઠીથી બોટાદને જોડતા રોડ ઉપર પેચવર્ક કરી મરામતની કામગીરી કરવામાં આવી

સમગ્ર ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે વિવિધ જિલ્લાઓ અને તેના ગામડાઓને જોડતા રસ્તાઓમાં થયેલ નુકસાનને દુરસ્ત કરવા માટેની સૂચનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા અણિયારી કાઠીથી બોટાદને જોડતા રોડ ઉપર પડેલા ખાડાઓના સમારકામ માટેની હાથ ધરવામાં આવી હતી.સમગ્ર જિલ્લામાં નાગરિકો અને રાહદારીઓને તૂટેલા રોડના કારણે અગવડનો સામનો ન કરવો પડે તે માટે શક્ય એટલી ઝડપથી કામગીરી કરવાના આદેશો કરવામાં આવ્યા છે.

  • Follow us on: