વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે અન્ય બ્રિજોના સમારકામ માટે આદેશ કર્યો હતો. તંત્રના અધિકારીઓએ રાજ્યમાં બ્રિજોની મરામત અંગે ચકાસણી હાથ ધરી હતી. જેમાં નવો બ્રિજ બનાવવા અને નબળા બ્રિજ અંગેની વિગતો મેળવાઈ હતી. આ દરમિયાન જૂનાગઢમાં આજક ગામમાં એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આત્રોલી-કેશોદ જતા રોડ પરનો પુલ સમારકામ દરમિયાન તૂટી પડ્યો હતો.
પુલનો સ્લેબ પડતા હીટાચી JCB પણ નદીમાં ખાબકયું













