પાદરા તાલુકામાં ગત 9 જૂલાઇની વહેલી સવારે મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી હતી. આજે આ ઘટનાને 25 દિવસ થયા છે. આ ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યાં છે. હાલમાં બ્રિજ પર લટકી રહેલું ટેન્કર ચર્ચાનો વિષય બન્યું છે. તેવામાં સરકારે આ ટેન્કરને વહેલી તકે બ્રિજ પરથી હટાવી લેવા અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.


બ્રિજ પર લટકી રહેલું ટેન્કર ચર્ચાનો વિષય બન્યું

આ બ્રિજ દુર્ઘટનમાં લટકતું ટેન્કર ઉતારવા તજવીજ હાથ ધરવમાં આવી છે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ જણાવ્યું કે આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ડ્રોન મારફતે અધિકારીઓ નજર રાખવામાં આવી રહી છે. ટેન્કર ઉતારવા માટે બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ થશે. આ ટેન્કરને બહાર કાઢતા 6થી 7 દિવસનો સમય લાગશે. પોરબંદરની વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે બીડું ઝડપ્યું છે.

ટેન્કર ઉતારવા માટે બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ

આ સેન્ટર દ્વારા ટેન્કરને નીચે ઉતરવાની કામગીરી માત્ર સેવા રૂપે કરાશે. સેન્ટરએ સામેથી સરકારને ટેન્કર ઉતારી આપવા ઓફર કરી હતી. ટેન્કર રેસ્ક્યું માટે જરૂરી કેટલીક સામગ્રી સાઉથના કેટલાક રાજ્યોમાંથી મંગાવી છે. બલૂન ટેકનોલોજીથી ટેન્કરનો આગળનો ભાગ ઉંચો કરી ટેન્કરને બહાર કાઢવામાં આવશે.


  • Follow us on: