વડોદરાના પાદરામાં ગઈકાલે 9 જુલાઈએ બ્રિજ દુર્ઘટના થવાની મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. ગઈકાલે બચાવ ટીમે શોધખોળ હાથ ધરતા 13 મૃતદેહ મળ્યા હતા, જ્યારે આજે શોધખોળ કરવામાં આવતા વધુ 3 મૃતદેહ મળી આવ્યા છે. હાલમાં તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


 10 એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ

તમને જણાવી ગઈએ કે ગઈકાલે સવારે પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. બ્રિજ તૂટી પડતા વાહનો નીચે નદીમાં પડ્યા હતા અને વાહનમાં સવાર લોકો પણ મહિસાગર નદીમાં પડ્યા હતા. ત્યારે હાલમાં પણ બચાવ કામગીરી દ્વારા મહિસાગર નદીમાં શોધખોળ ચાલી રહી છે. મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી અટકાવવામાં આવી હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધતા રેસ્ક્યુ અટકાવવામાં આવ્યું હતું. જો કે આજે ફરીથી બચાવ કામગીરી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 10 એજન્સીઓ આ કામગીરીમાં જોડાઈ છે.

બ્રિજ દુર્ઘટના બાદ તપાસનો ધમધમાટ શરુ

તમને જણાવી દઈએ કે પાદરા બ્રિજ દુર્ઘટનામાં 16 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બ્રિજ દુર્ઘટના બાદ તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે. રાજ્ય સરકારે આ દુર્ઘટના અંગેની તપાસ માટે તપાસ કમિટીની રચના કરી છે અને તેમાં 6 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તપાસ કમિટી દ્વારા બ્રિજ પર તપાસ શરૂ કરવામાં આવી છે. કલેકટર અનિલ ધામેલીયાને સાથે રાખીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તપાસ બાદ કમિટી રિપોર્ટ સરકારને સોંપશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દ્વારા યોગ્ય તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.


  • Follow us on: