વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને સહાય ચૂકવાઈ ગઈ છે.હજી એક મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી છે.નદીમાં કેમિકલ ભરેલું ટેન્કર હજી પડ્યું છે. અગાઉ આ ટેન્કરમાંથી સોડા એશ લીકેજ થયો હતો. પરંતુ કેમિકલ રીલિઝ થયું નથી એટલે ચિંતાની કોઈ વાત નથી. GPCBની ટીમની હાજરીમાં ટેન્કર બહાર કઢાશે. બીજી તરફ આ ઘટનામાં એક કરૂણતા બહાર આવી છે.
પરિજનો મૃતદેહ મળે તેની રાહ જોતા હતા













