પાટણમાં રાણીની વાવ ખાતે થોડા સમય પહેલા વાનર દ્વારા અનેક લોકોને જખ્મી કર્યા બાદ ચાણસ્મા તાલુકાના વાઘજીપુરા વિસ્તારમાં છેલ્લા દસ દિવસ જેટલાં સમયથી વાનર દ્વારા નાના બાળકથી લઈને મોટી મહિલાઓ સુધીના લોકોને કરડીને જખ્મી કરવામાં આવ્યા છે. ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના વાઘજીપુરા વિસ્તારમાં એક વાનર દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 દિવસ થી સમગ્ર પરા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
ચાણસ્મામાં વાનરોનો આતંક













