છોટાઉદેપુર જિલ્લામાં આવેલી આની નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ચોરવાણા અને ઓડ ગામ વચ્ચેનો વિસ્તાર રમણીય બની ઉઠ્યો છે. નદીમાં પાણીની આવક વધવા પાછળનું મુખ્ય કારણ ઉપરવાસ એટલે કે મધ્ય પ્રદેશ અને છોટાઉદેપુર પંથકમાં વહેલી સવારથી પડી રહેલો વરસાદ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આની નદીમાં નવા પાણીની આવક થઈ હતી.
છોટાઉદેપુર જિલ્લાની આની નદી બે કાંઠે













