છોટા ઉદેપુરમાં ભાજપ નેતાનું હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે. તેમના આકસ્મિક અવસાનના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજૂં ફરી વળ્યું છે.


છોટા ઉદેપુરના APMC ચેરમેન મુકેશ પટેલ(mukesh patel)ને હાર્ટ એટેક આવ્યો હતો. જે કારણે તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, મુકેશ પટેલ છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હતા.

મુકેશ પટેલને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે યોજાયેલી પદયાત્રા સમાપન કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. એટેક આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના અવસાનથી છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં શોકની લાગણી છવાઈ છે.


  • Follow us on: