છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી દિવસની ઉજવણી બાદ એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. ભોરદલી અને રજુવાંટ ગામો વચ્ચે આવેલી ઓરસંગ નદીમાં પાંચ વ્યક્તિઓ તણાયા હતા. પરંતુ સ્થાનિક લોકોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે પાંચેયના જીવ બચી ગયા હતા. ગઈકાલે આદિવાસી દિવસની ઉજવણી કરીને પાંચ વ્યક્તિઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભોરદલી ખાતે ઓરસંગ નદીનો પટ પસાર કરતી વખતે અચાનક નદીના પ્રવાહમાં વધારો થતા તેઓ તણાયા હતા.
આદીવાસી દિવસની ઉજવણી કરી પરત ફરી રહ્યા હતા













