અમદાવાદના સરખેજમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મહમ્મદ પુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે બાળકો સહિત 6 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
અમદાવાદના સરખેજ મહમ્મદ પુરા રોડ પર હાલમાં ટીપી રોડ છે તેની પાસે ચાર રસ્તાનો ક્રોસિંગ બને છે.આ ચાર રસ્તામાં ચારે તરફ એકપણ સ્પીડ બ્રેકર નથી. આ જગ્યાએ ફરીવાર અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે અકસ્માત થતાં બે બાળકો સહિત 6 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.













