અમદાવાદના સરખેજમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરીને પ્રેમીએ મૃતદેહને કેનાલમાં નાખીને હત્યા કરી નાખી હોવાની વાત સામે આવી છે, આરોપી અજય ઠાકોર સામે નોંધાઈ ફરિયાદ અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકને ગળાના અને મોઢાના ભાગે ઈજા પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ શરૂ કરી છે,
સરખેજ વિસ્તારની કેનાલમાંથી મળી લાશ
સરખેજના નરીમનપુરા કેનાલમાં એક મૃતદેહ પાણીમાં તરી રહ્યો હતો અને પોલીસને આ મામલે જાણ થતા પોલીસ પહોંચે છે અને પોલીસની શંકા સાચી પડે છે, મૃતદેહને બહાર કાઢવામાં આવે છે ત્યારબાદ મોઢા અને હાથના ભાગને મૃતકને ઈજા પહોંચેલી હતી જેના કારણે પોલીસને પણ જાણ થઈ કે આ કોઈ આપઘાતની ઘટના નથી પરતું આ હત્યાની ઘટના છે, પોલીસે પણ મૃતકના પરિજનોને જાણ કરી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે.













