અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં પત્નીની હત્યા કર્યા બાદ ક્લાસ વન અધિકારી પતિએ પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસની તપાસ ACPએ ડિવિઝનને સોંપાઇ છે.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં દંપતીના મોતના કેસની તપાસ ACP એ ડિવિઝનને સોંપાઇ છે. પોલીસની તપાસમાં ફ્લેટના સીસીટીવી બંધ હોવાનુ સામે આવ્યું છે. બીજી જાન્યુઆરીથી ડીવીઆરમાં રેકોર્ડિંગ બંધ હોવાનું સામે આવ્યું છે. યશરાજ પોતાને ત્યાં હથિયાર રાખતા હતાં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. આ બનાવ પહેલા દંપતી જ્યૂસ પીવા માટે સાથે ગયા હતાં. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.













