અમદાવાદમાં પોલીસે અસામાજિક તત્વો સામે કડક એક્શન શરૂ કર્યા હતાં. રથયાત્રા સમયે શહેરમાંથી અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ રથયાત્રા પૂર્ણ થતાં જ પોલીસનો ડર પૂર્ણ થઈ ગયો હોય તેમ ગુનેગારો ફરી સક્રિય થઈ ગયાં છે. શહેરના અમરાઈવાડીના વઢિયારીનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.સામાન્ય બોલાચાલી બાદ છરી, તલવાર અને લાકડી સાથે ઘરમાં ઘૂસીને હૂમલો અને તોડફોડનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સામાન્ય બોલાચાલી બાદ હુમલો અને તોડફોડ













