અમદાવાદના સાણંદ તાલુકાના લોદરીયાળ ગામમાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકોમાં એક યુવક, એક યુવતી અને એક બાળકનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પ્રેમ પ્રકરણ અથવા પારિવારિક વિવાદને કારણે ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં ખૂની ખેલ ખેલાયો છે.
સાણંદના લોદરીયાળમાં એક જ પરિવારના 3ના મોત
પોલીસની પ્રાથમિક આશંકા મુજબ પતિએ તેની પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. જોકે આ હત્યા-આત્મહત્યા છે કે પછી ત્રણેયના મૃત્યુ પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસની ટીમ તાત્કાલિક લોદરીયાળ ગામના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.













