અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક શ્રમિકે પોતાની સાથે કામ કરતા અન્ય એક શ્રમિકની હત્યા નિપજાવી છે. ભોજન કર્યા બાદ ઝડપાયેલા આરોપી રણધીર ચૌહાણે મૃતક પ્રદિપ ઉર્ફે બાબુલાલ સરોજ પાસેથી બીડી પીવા માટે માગી હતી. જોકે મૃતક પ્રદિપ પાસે એક જ બીડી હોવાથી તેણે બીડી આપવાની ના પાડતા બંને વચ્ચે તકરાર થઈ હતી અને તે તકરારમાં 18 ઓગસ્ટની રાતે પ્રદિપની હત્યા કરવામાં આવી હતી. જે અંગે નિકોલ પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
આરોપી અને મૃતક પ્લમ્બિંગનું કામ સાથે જ કરતા હતા













