અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વિકર પરમીટના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ થતા હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં 9 અરજદારના મેડિકલ લીકર પરમીટના 1.80 લાખ રૂપિયા ચાઉં કરી જનારા લીકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત ૩ કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. એક તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા સમગ્ર કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે તો બીજી તરફ તપાસ કરવા માટે 5 સભ્યોની કમિટી બનાવી છે જે મેડીકલ લીકર પરમીટ કૌભાંડની તપાસ કરી રહી છે. સિવિલ તંત્રએ 3 માસનો ડેટા પોલીસને સોંપ્યો છે. કૌભાંડ મુદ્દે 4 પરમિટ ધારકના નિવેદન નોંધાયા છે.


પોલીસે 2025 અને 2026 સુધીનો ડેટા માંગ્યો

મળતી માહિતી અનુસાર જે રોગી કલ્યાણ સમિતિ ફંડમાં કૌભાંડ થયું તે વિભાગના ફરજ બજાવતા અધિકારીઓને આ કૌભાંડની તપાસ સોંપાઈ છે જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.કર્મચારીથી લઈને સિનિયર કલાંકે ઉઘરાવેલા રુપિયાની ઉપર બેઠેલા લોકોને કેમ ખબર ના પડી. શા માટે માત્ર 9 અરજદારોની તપાસ કરાઈ છે. રોગી કલ્યાણ સમિતિમાં ફંડ જમા કરાવવાનુ કામ વરસોથી ચાલી રહ્યું છે તો અગાઉના વ્યવહારોની તપાસ પણ સત્વરે કરવી જરૂરી બની છે. જેથી મોટામાથાઓના નામ પણ ખુલી શકે છે. અમદાવાદ સિવિલ તંત્રએ પોલીસને ત્રણ માસનો ડેટા આપ્યો છે. જ્યારે પોલીસે 2025 અને 2026 સુધીનો ડેટા માંગ્યો છે.

આ કૌભાંડ મુદ્દે ચાર પરમીટ ધારકોના નિવેદન

પોલીસે સિવિલ તંત્રના કમ્પ્યુટર કબજે લીધા છે. આ કૌભાંડ મુદ્દે ચાર પરમીટ ધારકોના નિવેદન નોંધાયા છે. આજે પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવીને તપાસ કરશે. આરોપીઓએ લીકર પરમીટ માટે મેળવેલા નાણાં જમા કરાવ્યા નહોતા. કેટલા સમયથી આ કૌભાંડ ચાલતુ અને કોના ઈશારે રૂપિયા રોકડમાં લેવામાં આવતા હતાં તેની પણ તપાસ કરવામાં આવશે. 1.80 લાખના કૌભાંડની રકમ કોને કોને મળી તે અંગે તપાસ થશે.


આ પણ વાંચોઃ Surat: હજીરાના મોરા ગામમાં મીની વાવાઝોડાએ લીધો ભોગ, ઝાડ નીચે દબાઈ જવાથી યુવકનું કરુણ મોત


  • Follow us on: