અમરેલી જિલ્લામાં આવેલ વડીયા તાલુકાના અરજણસુખ ગામમા મોડી રાતે જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખવાની ઘટનાએ ચકચાર મચાવી છે અહી અરજણસુખ ગામમા સગાને ત્યાં ગોંડલના 60 વર્ષીય દિશેનભાઇ સોલંકી આવ્યા હતા. જ્યાં તેમના 5 જેટલા સાળા સહિત કેટલાક અજાણીયા લોકોએ અંગત અદાવતમાં જીવલેણ હુમલો કરી કુહાડીથી પગ કાપી નાખતા દિનેશભાઇને સારવાર અર્થે અમરેલી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
સમાધાન કરવાની બદલે વૃદ્ધની હત્યા કરી નાંખી
જ્યાં સારવાર દરમિયાન દિનેશભાઇનું મોત થતા મામલો હત્યામાં પલટાયો નાનકડા અરજણસુખ ગામમાં ચકચાર મચી ગઇ હતી. વડીયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધ્યો જેમાં તેમના સાળા સહિત અજાણીયા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મૃતક દિનેશભાઇને પત્ની સાથે ઝઘડો થયા બાદ ઘર છોડી અરજણસુખ આવ્યા હતા જ્યાં તેમના સાળા સહિત લોકો એકત્ર થયા હતા સમાધાન બાબતે ત્યારબાદ બોલાચાલી થયા બાદ દિનેશભાઇ ઉપર જીવલેણ હુમલો થયો હતો.













