ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં તાજેતરમાં બે અલગ-અલગ કોમના યુવકોના જૂથ વચ્ચે મારામારીની ઘટના બનતાં શહેરનું વાતાવરણ થોડું તંગ બન્યું હતું. જોકે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને તત્કાલિક જ કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારી કરનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ મારામારીનો બનાવ પાલીતાણાના પરિમલ વિસ્તારમાં બન્યો હતો. કોઈક કારણોસર બે કોમના યુવકોના જૂથ સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર ઝપાઝપી અને મારામારી થઈ હતી.


પોલીસે મારામારી કરનાર 3 લોકોને ઝડપી લીધા

પોલીસે આ મામલે સક્રિયતા દાખવીને તાત્કાલિક અન્ય કોમના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જેમની ધરપકડ કરી છે તેમાં સૈયદ અમીન, સૈયદ સફી અને સૈયદ જાહિદભાઈનો સમાવેશ થાય છે. પોલીસે માત્ર આરોપીઓની ધરપકડ કરીને સંતોષ ન માનતા જાહેરમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં કાયદાનો ડર પેસે તે હેતુથી એક ખાસ પગલું ભર્યું હતું.

પોલીસે આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન

ત્રણેય આરોપીઓને ઝડપીને તેમને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ રીતે પોલીસે જાહેરમાં આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે અને શહેરનું વાતાવરણ શાંતિપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લઈ રહી છે.


  • Follow us on: