ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લામાં ચિત્રા વિસ્તારમાં રહેતો રત્નકલાકાર વ્યાજખોરના ત્રાસનો ભોગ બન્યો. રત્નકલાકાર યુવકે વ્યાજખોરોને પૈસાની ચૂકવણી કરી દીધી હોવા છતાં તેમના દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. વ્યાજખોર પિતા-પુત્ર દ્વારા ત્રાસ અપાતો હતો. આખરે વ્યાજખોરના ત્રાસથી યુવકે અંતિમ પગલું ભર્યું અને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.


પૈસાની ચૂકવણી છતાં હેરાનગતિ, પત્નીનો આક્ષેપ

ચિત્રા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર કેતનભાઈએ આત્મહત્યા કરતા તેની પત્નીએ વ્યાજખોર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ ફરિયાદ થતા વ્યાજખોરના ત્રાસનો સમગ્ર મામલો સામે આવ્યો. મૃતક યુવકની પત્નીએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે તેના પતિ કેતને જરૂરિયાતના પગલે કારખાનાના મેનેજર પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. અને થોડા સમયમાં જ કેતને કારખાનાના મેનેજરને રૂપિયા પરત કરી દીધા હતા. છતાં પણ મેનેજર દ્વારા વારંવાર રૂપિયાની માગણી કરાઈ. મેનેજરનું કહેવું છે કે તમે ફક્ત રૂપિયા આપ્યા છે પરંતુ વ્યાજની ચૂકવણી બાકી છે.

સમગ્ર મામલે  પોલીસ વધુ તપાસ કરશે

રત્ન કલાકાર જ્યાં કામ કરે છે તે કારખાનાના મેનેજર સોડવદરામાં વ્યાજ પર ઉછીના રૂપિયા આપે છે. રત્નકલાકાર કેતનભાઈએ 45000 રૂપિયા વ્યાજે લીધા બાદ ચૂકવી દીધા હોવાની તેમની પત્ની દ્વારા દાવો કરાયો છે. વ્યાજખોરો દ્વારા સતત કરાતી હેરાનગતિના કારણે રત્નકલાકારે કેતને આપઘાત કર્યો. જેને લઈને તેની પત્નીએ બોરતળાવ પોલીસ મથક ખાતે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી. 45000ની ચૂકવણી બાદ પણ સોડાવદરાના વ્યાજખોર પિતા પુત્ર કેમ રત્નકલાકાર પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા તેને લઈને પોલીસ વધુ તપાસ કરશે.

  • Follow us on: