યાત્રાધામ દ્વારકામાં નાગેશ્વર વાડી વિસ્તારમાં યુવાનનું અપહરણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે સમગ્ર મામલાની ઉંડી તપાસ કરીને ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મહારાષ્ટ્રના વતની સુકલાલનું અપહરણ કરાયુ હતું અને તેનું અપહરણ બીજા કોઇએ નહી પણ સુકલાલ જે યુવતીને ભગાડી ગયો હતો તેના ભાઇએ જ કરાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.


દ્વારકાના નાગેશ્વર વાડી વિસ્તારમા કામ કરતા યુવકનું અપહરણ

દ્વારકા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ફરિયાદ અનુસાર દ્વારકાના નાગેશ્વર વાડી વિસ્તારમા કામ કરતા અને મૂળ મહારાષ્ટ્રનાં વતની સુકલાલનું અપહરણ થયાનું તેના ભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા

 જયારે દ્વારકા પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ડુંગરસીંગ જામસીંગ પાવરા તથા આરોપી સંજય કેશુભાઇ અલાવા અને આરોપી હરશી લખુભાઇ પારીયા દ્વારા સુકલાલનું અપહરણ કરવામાં આવ્યું છે . વસઈ નાગેશ્વર રોડ પરથી ત્રણેય આરોપીઓ સુકલાલને પ્રાઇવેટ ટેક્ષીમા અમદાવાદ લઇ જવા ચરકલા રોડ લઇ જામનગર તરફ જાય છે આ બાતમીનાં આધારે દેવભૂમિ દ્વારકા પોલીસ અને LCB દ્વારા લીંબડી નજીક ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા.

સુકલાલ આરોપીની બહેનને ભગાડી ગયો હોવાથી કરાયુ અપહરણ

 પોલીસે ત્રણેય શખ્સની ચૂંગાલમાંથી સુકલાલને મુક્ત કરાવ્યો હતો. દ્વારકા પોલીસ દ્વારા અપહરણના કારણની તપાસ કરતા પ્રાથમિક જાણકારી મળી કે ભોગ બનનાર સુકલાલ આરોપી ડુંગરસીંગ જામસીંગ પાવરાની સગી બહેનને મહારાષ્ટ્રથી લગ્ન અર્થે ભગાડી દ્વારકાના નાગેશ્વર વાડીમાં પતિ પત્ની તરીકે રહેતા હતા જે આરોપી ડુંગરસીગને મંજુર નહોતું માટે પોતાની બહેનને ભગાડી જનારનું અપહરણ કરી બદલો લેવા માગતો હતો.


  • Follow us on: