કચ્છના ગાંધીધામ નજીક આવેલા ખારી રોહર વિસ્તારમાં જમીનના વિવાદને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. ખારી રોહરના સમુદ્ર કાંઠે આવેલી ઝાફરા વાળી નામની જમીન પરના વિવાદે આ ગંભીર સ્વરૂપ લીધું હતું. જમીનના માલિકી હક અને કબજાને લઈને બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ ગઈ હતી.
ઝાફરા વાળીમાં જમીનને લઈને મારામારી
લાકડીઓ અને અન્ય વસ્તુઓ વડે થયેલી આ મારામારીમાં કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તમામ 4 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.













