ગુજરાતમાં આજે અંબાપુર મર્ડર કેસના આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ સાયકો કિલરે પોલીસ પર હુમલો કર્યો હતો, પોલીસ પાસેથી રિવોલ્વર છિનવી હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં આરોપીને ઠાર કર્યો છે. સાયકો કિલરને કેનાલ પાસે પોલીસ લઈ ગઈ હતી. ત્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જેમાં 3 પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા છે. હાલમાં ગાંધીનગર રેન્જ IG ઘટનાસ્થળે પહોંચ્યા છે.
પોલીસે પિતા-પુત્રને એન્કાઉન્ટરમાં કર્યા હતા ઠાર













