મોરબીના હળવદમાં વેપારીએ વ્યાજખોર અને બેંકના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પાંચ શખ્સોના નામ મળી આવતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
વ્યાજખોર તરફથી અને બેંક તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો
મોરબીના હળવદામાં વેપારીની ઘટનાનો મામલો સામે આવ્યો છે. મળેલી માહિતી મુજબ વેપારી નવનીત આદ્રોજાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. પોતાને વ્યાજખોર તરફથી અને બેંક તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો હોવાથી કંટાળી ગયેલા વેપારીએ આ અંતિમ પગલું ભરી લેતા હાહાકાર મચી ગયો હતો.













