ગુજરાત ATS અને જામનગર પોલીસના એક સંયુક્ત ઓપરેશનમાં પંજાબ હત્યા કેસના એક ગુનામાં ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી જામનગરના મેઘપરમાંથી પોલીસના હાથે પકડાયો છે. આરોપીને પંજાબ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.


આરોપીને પકડવા માટે ATS દ્વારા તપાસ હાથ ધરાઈ

પંજાબના અમૃતસરમાં થયેલા હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ તંત્ર કામે લાગ્યું હતું. આ કેસમાં વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જામનગરના મેઘપરમાં છુપાઈને રહેતો લવપ્રિતસિંગ મજૂરી કરીને રહે છે તેવી બાતમી પંજાબની પોલીસે ગુજરાત ATSને આપી હતી. ત્યાર બાદ આરોપીને પકડવા માટે ATS દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

આરોપીને પંજાબ પોલીસને સોંપવા તજવીજ

પોલીસને એવી બાતમી મળી હતી કે, હત્યા કેસમાં ફરાર થયેલો આરોપી લવપ્રિતસિંગ જામનગરના મેઘપરમાં છુપાઈને રહે છે અને મજૂરી કામ કર છે. ગુજરાત એટીએસ દ્વારા જામનગર પોલીસને આ માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ જામનગર પોલીસે તપાસ હાથ ધરીને એક ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપીને પકડીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. હવે આ આરોપીને પંજાબ પોલીસને સોંપવા ગતિવિધિ તેજ કરાઈ છે.


આ પણ વાંચોઃ Surat News : SITCO ના ડ્રાઇવરનો DCP સામે બેફામ જવાબ, 'મારા સાહેબ પણ રોંગ સાઈડથી જ આવે છે...


  • Follow us on: