અરવલ્લીના શામળાજીમાં 2 શિક્ષકના મોત થયા છે, કાર ડિવાઈડર સાથે અથડતા 2 શિક્ષકના મોત થયા હોવાની વાત સામે આવી છે, પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે, ત્યારે કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોય અને આ ઘટના બની હોય તેવું પ્રાથમિક તારણ પોલીસનું છે.
અરવલ્લીના શામળાજીમાં અકસ્માતમાં 2 શિક્ષકના મોત
અરવલ્લીમાં 2 શિક્ષકના મોત થતા અરવલ્લી જિલ્લાના શિક્ષકોમાં શોકની લાગણી વ્યાપી છે, શામળાજીમાં રંગપુર ગામ પાસે અકસ્માતમાં બે શિક્ષકના મોત થયા છે. કાર ડિવાઈડર સાથે અથડાઈ અને બન્ને શિક્ષકોના મોત થયા છે, એક શિક્ષક કારની બહાર પછડાયા હતા અને રોડ પર તેમનું મોત થયું છે, ગાંભોઈ અને રાયસિંગપુરના શિક્ષકનું મોત થયું છે, પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.













